=> આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓના કુલ મૂલ્યને વિદેશ વ્યાપારનું કદ કહે છે.
=> દેશની હદની બહાર થતી વેપારપ્રવૃતત્તિને વિદેશ વ્યાપાર કે આંતરાષ્ટ્રીય વેપાર કહે છે.
=> વિદેશવેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ.
=> જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દરને હૂંડિયામણનો દર કહે છે.
=> દેશની ભૌતિક અભૌતિક વસ્તુના આયાત ખર્ચ કરતા નિકાસ કમાણી વધુ હોય ત્યારે લેણદેણ તુલામાં પુરાંત છે એમ કહેવાય.
=> વિદેશવેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાંઓ જે તેને અન્ય પ્રવૃત્તિઓથી જુદી પાડે અને તેને અલગ ઓળખ આપે. આયાત અને નિકાસ થતી વસ્તુઓની રચના અથવા તેમના પ્રકારો એટલે આયાત અને નિકાસનું સ્વરૂપ.
લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું. જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેર ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે.લેણદેણ તુલાની બે બાજુઓ છે :
(1) જમા બાજુ : વિદેશોથી દેશને થતી બધી જ આવક જમા બાજુએ નોંધાય છે.
(2) ઉધાર બાજુ : જ્યારે વિદેશોને થતી બધી જ આવક ઉધાર બાજુએ નોંધાય છે.
લેણદેણ તુલાને અસર કરતાં પરિબળો નીચે મુજબ છે.
(1) હૂંડિયામણનો દર (2) વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા (3) વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશોમાં કિંમત (4) દેશના આર્થિક વિકાસનું સ્તર (5) અનિવાર્ય આયાતો (6) વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો (7) આંતરમાળખાકીય સુવિધાઓ.
સામાન્ય રીતે દુનિયાના તમામ દેશો પરસ્પરાવલંબી છે. આથી દરેક દેશ વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેક્નોલોજી અને માહિતીના આદાનપ્રદાન માટે વિદેશવેપાર કરે છે. આ અંગેનાં જરૂરી કારણો નીચે મુજબ છે :
અર્થ : દેશની સરહદની બહાર આવેલા જુદા જુદા દેશો વચ્ચે કરવામાં આવતા વેપારને વિદેશવેપાર કહે છે.
કારણો :
ઉત્પાદનનાં સાધનોમાં તફાવત : અલગ અલગ દેશોમાં ઉત્પાદનનાં સાધનો, ટેક્નોલોજી અને કાર્યક્ષમતા જુદી-જુદી હોય છે. આથી જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિદેશવેપાર કરવામાં આવે છે.
ઉત્પાદન ખર્ચ : દરેક દેશોમાં વસ્તુઓ અને સેવાઓનો ઉત્પાદન ખર્ચ અલગ અલગ હોય છે. કારણ કે દેશમાં મળતો કાચો માલ, પગાર, અન્ય ખર્ચ અલગ-અલગ હોય છે. માટે વિદેશવેપાર કરવો પડે છે.
ટેક્નોલોજિકલ પ્રગતિ : બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેક્નોલોજિકલ પ્રગતિ થઈ હોતી નથી. આથી દરેક દેશની વસ્તુના ઉત્પાદનમાં એકસરખી કાર્યક્ષમતા ધરાવતો નથી. આથી દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો વેપાર થાય છે.
શ્રમ વિભાજન : દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ હોય છે. વળી, નિયોજનશક્તિની કાર્યક્ષમતા પણ અલગ હોય છે. તેથી દેશો વચ્ચે શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે.
ભૌગોલિક પરિસ્થિતિ : દરેક દેશમાં ભૌગોલિક પરિસ્થિતિનાં આધારે ઉત્પન્ન થતી વસ્તુઓનું સ્વરૂપ બદલાય છે અને તેથી વસ્તુનું ઉત્પાદન પણ બદલાય છે.
અન્ય પરિબળો : આ ઉપરાંત સરકારની નીતિ કાયદાઓનું પ્રમાણ, કાચા માલ અને શ્રમિકોની પ્રાપ્તિ વગેરે પણ વિદેશવેપાર માટે જવાબદાર પરિબળો ગણાય.
(1) ચાલુ ખાતું (2) મૂડી ખાતું.
(1) ચાલુ ખાતું : ભૌતિક તેમજ અભૌતિક વસ્તુઓની આયાત અને નિકાસ કમાણી જે ખાતામાં નોંધવામાં આવે છે, તે ખાતાને ચાલુ ખાતું કહે છે.
આ ખાતામાં જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે. (1) ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય : ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી જમા બાજુ અને આયાત પાછળનો ખર્ચ ઉધાર બાજુ નોંધાય છે. જેને વેપારતુલા કહેવાય છે. આ વેપારતુલા ખાધવાળી કે પુરાંતવાળી હોઈ શકે. જો આયાત ખર્ચ વધુ હોય અને નિકાસ કમાણી ઓછી હોય, તો ખાદ્ય અને તેથી ઊલટું હોય તો પુરાંત(ii) અભૌતિક સેવાઓનું મૂલ્ય : અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ ચાલુ ખાતામાં થાય છે.
(2) મૂડી ખાતું : મૂડી ખાતામાં અન્ય દેશ સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય, જેમ કે બોન્ડ, સોનું, શેર, અન્ય ધિરાણ વગેરેની આવક તેમજ જાવકની નોંધ થાય છે. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણદેણની તુલા કહેવાય છે.
લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશ સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડીવેપારના મૂલ્યની નોંધણી થાય છે.
અર્થ : વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત-નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા.
(1) જમા બાજુ – જ્યાં તમામ આવકો નોંધાય છે.
(2) ઉધાર બાજુ
લેણદેણની તુલાના પ્રકારો :
(1) સમતોલ લેણદેણની તુલા : જ્યારે આવક અને જાવક એટલે જમા અને ઉધાર બાજુનો સરવાળો સમાન થાય તો તેને સમતોલ લેણદેણની તુલા કહે છે.
(2) અસમતોલ લેણદેણની તુલા : જ્યારે આવક અને જાવક એટલે જમા અને ઉધાર બાજુનો સરવાળો અસમાન હોય તો તેને અસમતોલ લેણદેણની તુલા કહે છે.
લેણદેણની તુલાને અસર કરતાં પરિબળો :
હૂંડિયામણનો દર
લેણદેણની તુલાનાં ખાતાંઓ :
(1) ચાલુ ખાતું : ભૌતિક તેમજ અભૌતિક વસ્તુઓની આયાત અને નિકાસ કમાણી જે ખાતામાં નોંધવામાં આવે છે, તે ખાતાને ચાલુ ખાતું કહે છે.
આ ખાતામાં જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે. (1) ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય : ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી જમા બાજુ અને આયાત પાછળનો ખર્ચ ઉધાર બાજુ નોંધાય છે. જેને વેપારતુલા કહેવાય છે. આ વેપારતુલા ખાધવાળી કે પુરાંતવાળી હોઈ શકે. જો આયાત ખર્ચ વધુ હોય અને નિકાસ કમાણી ઓછી હોય, તો ખાદ્ય અને તેથી ઊલટું હોય તો પુરાંત(ii) અભૌતિક સેવાઓનું મૂલ્ય : અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ ચાલુ ખાતામાં થાય છે.
(2) મૂડી ખાતું : આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે. જેવા કે બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરે તથા સ્થાયી મૂડીરોકાણ.
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સ્થળાંતરનો અર્થ આપો. કોઈ એક વ્યક્તિ કે કુટુંબ…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો. ? ‘જે વ્યક્તિઓ પ્રવર્તમાના…