=> ઘટતા જતા મૃત્યુદરની સામે જન્મદરમાં ઘટાડાનું પ્રમાણ ઓછું હોય અને જેને પરિણામે વસ્તી વધારામાં જોવા મળતો વધારો એટલે વસ્તી વિસ્ફોટ
=> ચીને વસ્તી ઘટાડવા બે બાળકવાળાં દંપતિઓના મહત્વના લાભો પાછા ખેંચી લેવાજેવાલઅગત્યનાં પગલા લીધા છે.
=> 1921 સુધીના સમયગાળા દરમિયાન વસ્તીમાં થયેલ વધારો ધીમો હતો. 1921ના વર્ષને બાદ કરતાં પછીના દરેક વર્ષમાં ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર ઊંચો રહેવા પામ્યો હતો. આથી વસ્તીવધારાની દૃષ્ટિએ 1921ના વર્ષને ‘મહાન વિભાજક વર્ષ’ તરીકે ઓળખવામાં આવે છે.
=> ઉત્પાદક વસ્તી એટલે કામ કરતી વસ્તી. સામાન્ય રીતે 15થી 64 વર્ષની વય-જૂથ ધરાવતી વસ્તીને ઉત્પાદક વસ્તી કહે છે. અનઉત્પાદક વસ્તી એટલે કામ ન કરતી વસ્તી. સામાન્ય રીતે 15થી 64 વર્ષ સિવાયની વસ્તીને અનઉત્પાદક વસ્તી કહે છે.
=> વસ્તી વૃદ્ધિના દરને ઇચ્છનીય સપાટી પર લઈ જવા માટે સરકાર દ્વારા લેવામાં આવતાં પગલાંને વસ્તીનીતિ કહે છે.
ઊંચા જન્મદર માટે જવાબદાર સામાજિક પરિબળો નીચે પ્રમાણે છે :
=>કુટુંબ નિયોજન :બે બાળકોનાં જન્મ વચ્ચે માતા-પિતા સ્વૈચ્છિક રીતે અંતર રાખે તો તેને કુટુંબ નિયોજન કહે છે.
આયોજિત માતૃત્વ અને પિતૃત્વ એટલે કુટુંબ નિયોજન.
=>મૃત્યુદર : વર્ષ દરમિયાન દર હજારની માનવવસ્તીએ મૃત્યુ પામતાં વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે.
વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે તે મૃત્યુદરના આધારે ખ્યાલ આવે છે.ભારતમાં નીચા મૃત્યુદરનાં કારણો નીચે પ્રમાણે છે.
(1) જીવનધોરણમાં સુધારો
(2) રોગચાળા પર નિયંત્રણ
(3) દુષ્કાળ પર અંકુશ
(4) કુદરતી આપત્તિઓ સામે રક્ષણ
=>જીવન ધોરણમાં સુધારો : આર્થિક વિકાસ વધતા લોકોની આવકમાં વધારો થયો છે. અને લોકોની આવક વધતાં જીવનધોરણમાં પણ સુધારો જોવા મળે છે. લોકોને પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ, પૂરતું શિક્ષણ, આરોગ્યની સારી સેવાઓ, પૂરતું રહેઠાણ, આંતરમાળખાકીય સુવિધાઓ મળતાં તેમના જીવનધોરણમાં સુધારો આવ્યો છે. પરિણામે મૃત્યુદર ઘટ્યો છે.
=> રોગચાળા પર નિયંત્રણ : શરૂઆતનાં વર્ષોમાં દેશમાં ક્ષય, મેલેરિયા, પ્લેગ, શીતળા જેવા જીવલેણ રોગોનાં કારણે મૃત્યુદર ઊંચો હતો પરંતુ 20મી સદીના અંતમાં વિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે પ્રગતિ થવાથી રોગો પર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. વિવિધ રોગપ્રતિકારક રસીઓ શોધાવાથી ઘણા જીવલેણ રોગો સામાન્ય બની ગયા છે, જેના પરિણામે મૃત્યુદર ઘટ્યો છે.
=> દુષ્કાળ પર અંકુશ : વર્ષો પહેલાં દેશમાં જ્યારે જ્યારે દુષ્કાળ પડતા ત્યારે ભૂખમરાને લીધે ઘણાં માણસો મૃત્યુ પામતા હતા, પરંતુ વિજ્ઞાન અને આધુનિક ટેક્નોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે. હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. દેશ પાસે અનાજનો પૂરતો બફરસ્ટોક ઉપલબ્ધ છે. આમ, ભૂખમરાને કારણે થતાં મૃત્યુને ટાળી શકાયાં છે.
=> કુદરતી આપત્તિઓ સામે રક્ષણ : દેશમાં વર્ષો પહેલાં ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ત્સુનામી જેવી કુદરતી આપત્તિઓના કારણે મૃત્યુદર ઊંચો રહેતો હતો. પરંતુ આજે વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર જેવી આંતરમાળખાકીય સુવિધાઓને લીધે આપત્તિ સ્થળ પર અનાજ, દવાઓ તેમજ અન્ય પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી પહોંચાડી શકાય છે જેથી મૃત્યુદરમાં ઘટાડો જોવા મળે છે.
(1) ઊંચો જન્મદર
(2) નીચો મૃત્યુદર
આમ વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકીની એક મોટી અને મહત્ત્વની સમસ્યા વસ્તીવધારાની છે.
આર્થિક કારણો :
શિક્ષણનું નીચું પ્રમાણ :
બાળમૃત્યુદરનું ઊંચું પ્રમાણ :
ભારતમાં બાળમૃત્યુદરનું પ્રમાણ
લોકશિક્ષણ અને જાગૃતિ :
કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા :
(1) લોકશિક્ષણ અને
(2) કુટુંબ નિયોજન સેવાઓની સવલતો વધારવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
(3) કુટુંબનિયોજન માટેનાં સાધનો સાદાં, સસ્તાં અને સહેલાઈથી મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની છે.
(4) વંધ્યત્વીકરણના ઓપરેશન(નસબંધીના ઓપરેશન)ને અપાતું મહત્ત્વ ઘટાડીને બિનજરૂરી ગર્ભને અટકાવવાની નીતિ ઉપર વધુ ભાર મક્વામાં આવશે.
મહિલાઓની લગ્નવય અને દરજ્જામાં વધારો :
પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો :
તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો :
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સ્થળાંતરનો અર્થ આપો. કોઈ એક વ્યક્તિ કે કુટુંબ…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. વિદેશ વ્યાપારનું કદ એટલે શું ? => આયાત અને નિકાસ…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો. ? ‘જે વ્યક્તિઓ પ્રવર્તમાના…