ભારત સરકારના કુલ કરવેરામાં પરોક્ષ કરવેરા વધુ છે. તેથી જ્યારે સરકાર વસ્તુ કે સેવા ઉપર ઊંચા દરે કરવેરા નાંખે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે.
ઉત્પાદકો આ ખર્ચને પહોંચી વળવા તે કરવેરાનો બોજો ગ્રાહકો ઉપર ખસેડે છે. પરિણામે વસ્તુઓની કિંમતો વધતાં ફુગાવો સર્જાય છે.
શરૂઆતનાં વર્ષોમાં ગ્રામસમાજ વ્યવસ્થા હતી, ખેતીનો પરસ્પર વ્યવહાર, ઓછી જરૂરિયાતો, સાદું જીવન હતું એટલે વસ્તુ વિનિમય પ્રથા શક્ય હતી. પરંતુ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થયો,જરૂરિયાતો વધી, ઉપરાંત ઔધોગીકરણ, શહેરીકરણ, શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની.
સાટા પ્રથાનો અર્થ : (વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ)
‘વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે વસ્તુવિનિમય પ્રથા કે સાટા પ્રથા.’સાટા પ્રથા વસ્તુવિનિમય પ્રથા કે બદલા પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે.દા. ત., ખેડૂત ઘઉંના બદલામાં ચોખા, કાપડ, ચંપલ મેળવતો. એ જ રીતે ચંપલ બનાવનાર ચંપલ આપી અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો હતો.
(1) જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા : સાટા પ્રથામાં બે પક્ષકારો વચ્ચે સીધી લેવડ-દેવડ થતી હોય છે. આથી બંને પક્ષોની જરૂરિયાતોનો સુમેળ જ્યાં સુધી સાધી ના શકાય ત્યાં સુધી વિનિમય શક્ય બનતો નથી.
(ii) મૂલ્યના સંગ્રહની મુશ્કેલી : સાટા પ્રથામાં મૂલ્યના સંગ્રહની મુશ્કેલી હતી. અહીંયાં મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય ગણાય છે.
(iii) મૂલ્ય માપનની મુશ્કેલી (સર્વ સામાન્ય માપદંડનો અભાવ : શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔઘોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યમાપનનો પ્રશ્ન ઊભો થયો.
દા. ત.. એક મણ ઘઉં કેટલા મીટર કાય ? એક મણ ઘઉં – કેટલા એકમ પગરખાં વગેરેનું મૂલ્ય નક્કી કરવાનું અને તે મુજબ વેપાર કરવાનું કાર્ય મુશ્કેલ બન્યું. એક જ વસ્તુના અનેક મૂલ્યો યાદ રાખવાનું મુશ્કેલ બન્યુ
(iv) વસ્તુ વિભાજનની મુશ્કેલી : વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર જરૂરિયાતોનો સુમેળ સાધવાની જે સમસ્યાઓ હતી તે પૈકી એક સમસ્યા વસ્તુ વિભાજનની હતી.
(v) વિલંબિત ચૂકવણીનાં ધોરણની મુશ્કેલી (લાંબી મુદતની લેવડદેવડની મુશ્કેલી) વસ્તુ વિનિમય (સાટા પ્રથા) પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ છે સેવાનો વિનિમય કરવાનું કાર્ય તે સમય પૂરતું સરળ હતું. પરંતુ ઉછીનો વ્યવહાર કરવાની મુશ્કેલી પડતી હતી. તેથી તેનો વ્યવહાર કરવાની લોકોની તૈયારી હોતી નથી.
(vi) હિસાબી અગવડતા : સાટા મથામાં જેટલી વસ્તુ ‘હોય તેટલાં મૂલ્યો યાદ રાખવા પડે.
સામાન્ય રીતે ભાવવધારો એટલે કુગાવો.
સામાન્ય પ્રજા ચીજવસ્તુના ભાવવધારાને ફુગાવો માને છે પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ ફુગાવાની વ્યાખ્યાઓ આપી છે.
ફુગાવાનો અર્થ : સામાન્ય રીતે નાણાંના પુરવઠાના વધારાને કારણે લોકોની આવકમાં વધારો થતાં વસ્તુ અને સેવાની માંગમાં પણ વધારો થતાં તેની ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય છે જેને ફુગાવો કહે છે.
વ્યાખ્યાઓ : ડો. એ. પી. લર્નર : ‘વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે.’
ડો. એ. સી. પિગુ : ‘વાસ્તવિક આવક કરતાં નાણાંકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે.’
ડો. જે. એમ. કેઇન્સ : ‘ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાંકીય આવક વધે તો સર્જાય છે.’
ટૂંકમાં ભાવસપાટીમાં થતો સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદશક્તિ સતત ઘટે છે.
સામાન્ય રીતે વસ્તુ કે સેવાની માંગ વધે પરંતુ કોઈ કારણસર તે વસ્તુ કે સેવાના પુરવઠામાં વધારો ન થાય કે ધીમા દરે વધારો થાય તો વસ્તુ કે સેવાની અછત સર્જાય છે જેથી તેની કિંમતમાં વધારો થાય છે. જેથી ફુગાવો સર્જાય છે તેને માંગપ્રેરિત ફુગાવો કહે છે.
1) નાણાંના પુરવઠામાં વધારો :
‘ખૂબ જ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે.’
ટૂંકમાં ફુગાવારૂપી આગ ચાલુ રહે અથવા વધારે ભડકે બળે તે માટે નાણાંનાં પુરવઠારૂપી ‘ઘી’ જવાબદાર છે.
2.) સરકારના જાહેર ખર્ચમાં વધારો : ભારત જેવા વિકાસમાન દેશોમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવા સરકારોએ જાહેરખર્ચ કરવું પડે છે. જેમ કે આંતરમાળખા(ઇન્ફ્રાસ્ટ્રક્ચર)નો વિકાસ, રોજગારીની તકોનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી વગેરે માટે વધુ ને વધુ ખર્ચ કરવો પડે છે.
3) વસ્તીવધારો : ભારત જેવા દેશમાં સરેરાશ 2 ટકાના દરે વધતી વસ્તી રોજિંદી વપરાશની વસ્તુની માંગમાં વધારો કરે છે અને બીજી બાજુ બચત અને રોકાણો પર માઠી અસરો સર્જે છે, જેથી વસ્તુ પુરવઠો વધતો નથી.
4) કાળું નાણું : દેશમાં વધતું જતું કાળું નાણું પણ ભાવ વધારાને વેગ આપે છે. લોકો કાળાં નાણાંમાંથી વસ્તુ કે મિલકતો ખરીદે છે તેથી તેની માંગ વધતાં ફુગાવો સર્જાય છે.
(બ) ખર્ચમાં વધારો (ખર્ચપ્રેરિત ફુગાવો ) :
(i) ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો :
(ii)અન્ય કારણો :
A) કરવેરાનીતિ : જ્યારે સરકાર વસ્તુ કે સેવા ઉપ
(પરોક્ષવેરા) ઊંચા દરે કરવેરા નાંખે છે ત્યારે ઉત્પાદન ખર્ચમાં અને કિંમતમાં વધારો થાય છે. કારણ કે ઉત્પાદકો કરનો બોજ ભાવવધારા દ્વારા પોતાના ઉપરથી ગ્રાહક ઉપર ખસેડે છે, જે ફુગાવા માટે જવાબદાર બને છે.
(B) આયાતી વસ્તુની કિંમતમાં વધારો : ભારતે ઔધોગિકરણ કરવા પર ભાર મૂક્યો છે તેથી ભારતમાં પેટ્રોલિયમ પેદાશની માંગ વધી છે. એક અંદાજે આપણે 70% પેટ્રોલિયમ પેદાશોની આયાત કરવી પડે છે.
(C) અછત : ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા કાચો માલ વીજળી કે અન્ય જરૂરી વસ્તુની કોઈ પણ કારણોસર અછત સર્જાય તો ભાવો વધે છે.
ફુગાવા માટે ઉપરોક્ત કારણો ઉપરાંત દુષ્કાળ કે કુદરતી આપત્તિમાં અનાજનું ઉત્પાદન ન વધતાં ભાવ વધે છે. તેથી જીવનનિર્વાહ ખર્ચ વધે છે. શ્રમિકો વધુ વેતનની માંગણી કરે છે જે ઉત્પાદન ખર્ચ વધારે છે. યુદ્ધ કે તેના ભયે સંરક્ષણ ખર્ચ વધે છે. જેથી ખર્ચપ્રેરિત ફુગાવો વેગ પકડે છે.
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સ્થળાંતરનો અર્થ આપો. કોઈ એક વ્યક્તિ કે કુટુંબ…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. વિદેશ વ્યાપારનું કદ એટલે શું ? => આયાત અને નિકાસ…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો. ? ‘જે વ્યક્તિઓ પ્રવર્તમાના…