3. નાણું અને ફૂગાવો

Section-A
1-ગુણ

નાણું અને ફૂગાવો

1 / 5

ફુગાવામાં અર્થતંત્રના કયાં ક્ષેત્ર માં ભાવ વધે છે?

2 / 5

વસ્તુઓ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. -નાણાની આ વ્યાખ્યા કોણે આપેલી છે ?

3 / 5

નિચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે ?

4 / 5

સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય, તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફૂગાવો છે ?

5 / 5

માંગમાં વૃ્દ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફૂગાવો કહે છે

Your score is

The average score is 90%

0%

Section-B
1-ગુણ

Section-C
2-ગુણ

  1. ભાવ સપાટીમાં સતત વધારો થાય છે.
  2. અર્થતંત્રમાં બધાં જ ક્ષેત્રોમાં ભાવ વધે છે.
  3. નાણાંની ખરીદશક્તિ (નાણાંનું મૂલ્ય) ઘટતી જાય છે.
  4. પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવસપાટી એ શુદ્ધ ફુગાવો છે.
  5. ફુગાવો એ આર્થિક સમસ્યા અને નાણાંકીય ઘટના છે.
  • નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે.
  • નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે. દા. ત., ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે.
  • વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે, તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે.
  • મૂળભૂત રીતે આપણી જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણું ખૂબ ઉપયોગી માધ્યમ છે.
  • ભારત સરકારના કુલ કરવેરામાં પરોક્ષ કરવેરા વધુ છે. તેથી જ્યારે સરકાર વસ્તુ કે સેવા ઉપર ઊંચા દરે કરવેરા નાંખે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે.

  • ઉત્પાદકો આ ખર્ચને પહોંચી વળવા તે કરવેરાનો બોજો ગ્રાહકો ઉપર ખસેડે છે. પરિણામે વસ્તુઓની કિંમતો વધતાં ફુગાવો સર્જાય છે.

Section-D
3-ગુણ

  • વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વસામાન્ય માધ્યમ તરીકે પશુનો ઉપયોગ શરૂ થયો,
  • ભારતમાં ખાસ કરીને ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું.
  • ખેતીપ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. તેમાંથી વપરાશનું અનાજ બાદ કરી વધેલાં અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે પશુને વેચીને અનાજ પાછું મેળવતા હતા કે અન્ય વસ્તુઓ મેળવતા હતા.
  • આમ, ગાય, ભેંસ, ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ અને મૂલ્યનું સંગ્રાહક બન્યું.
  • જોકે વિનિમયના માધ્યમ અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ મર્યાદિત બન્યો. કારણ કે પશુઓ પણ બીમાર પડતા, મૃત્યુ પામતા, તેમને સાચવવાની સગવડ નહોતી, અમુક હદથી વધુ પશુ રાખવા શક્ય પણ નહોતું, તેમની હેરફેરની મુશ્કેલી હતી.
  • પરિણામે કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો.
  • રાજાશાહી અર્થવ્યવસ્થા આવતાં સિક્કાઓ(ધાતુનાણું)ની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કાર્ય શરૂ કર્યું.
  • લોકશાહીના ઉદ્ભવે અને આધુનિકરણે આધુનિક નાણાંના સ્વરૂપને મોટું પ્રેરકબળ પૂરું પાડ્યું. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વમાન્ય સ્વીકૃતી મળી અને વિનિમયના માધ્યમ તરીકે ઝડપભેર માન્યતા મળી. જે મૂલ્યના સંગ્રાહક તરીકે સફળ થયું.
  • બેન્કિંગ વ્યવસ્થાનો વિકાસ થતાં મૂલ્યના સંગ્રહ તથા મૂલ્યના સ્થળાંતરને ઝડપી અને સરળ બનાવ્યું.
  • દા. ત., ઇ-બેન્કિંગ અને M. Bankingની સુવિધા મળી.
  • પ્રો. ફ્રિડમેન અને પ્રો. હોટ્રે જેવા નાણાંવાદી અર્થશાસ્ત્રીઓ ફુગાવાને સંપૂર્ણ (શુદ્ધ) નાણાંકીય ઘટના માને છે.
  • તેમના મતે ભાવવધારા માટે નાણાંના પુરવઠામાં સરકાર દ્વારા કરવામાં આવતો વધારો જ જવાબદાર છે.
  • દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાંકીય આવકો વધે છે. જેથી ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. પરંતુ તેની સામે વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો લગભગ સ્થિર હોય કે વધે નહીં કે ધીમા દરે વધે તો કિંમતોમાં વધારો થાય છે. પરિણામે ફુગાવો સર્જાય છે.
  • તેથી જ મેચલપે (અર્થશાસ્ત્રી) સાચું જ કહ્યું છે કે ‘ખૂબ જ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે.’

Section-E
5-ગુણ

શરૂઆતનાં વર્ષોમાં ગ્રામસમાજ વ્યવસ્થા હતી, ખેતીનો પરસ્પર વ્યવહાર, ઓછી જરૂરિયાતો, સાદું જીવન હતું એટલે વસ્તુ વિનિમય પ્રથા શક્ય હતી. પરંતુ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થયો,જરૂરિયાતો વધી, ઉપરાંત ઔધોગીકરણ, શહેરીકરણ, શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની.


સાટા પ્રથાનો અર્થ : (વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ)

‘વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે વસ્તુવિનિમય પ્રથા કે સાટા પ્રથા.’સાટા પ્રથા વસ્તુવિનિમય પ્રથા કે બદલા પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે.દા. ત., ખેડૂત ઘઉંના બદલામાં ચોખા, કાપડ, ચંપલ મેળવતો. એ જ રીતે ચંપલ બનાવનાર ચંપલ આપી અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો હતો.

  • સાટા પ્રથાની મર્યાદાઓ :

(1) જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા : સાટા પ્રથામાં બે પક્ષકારો વચ્ચે સીધી લેવડ-દેવડ થતી હોય છે. આથી બંને પક્ષોની જરૂરિયાતોનો સુમેળ જ્યાં સુધી સાધી ના શકાય ત્યાં સુધી વિનિમય શક્ય બનતો નથી.

  • વળી, આર્થિક અને સામાજિક વિકાસની સાથે માનવીની જરૂરિયાતો પણ વધતી ગઈ. આથી વિનિમય કરવાનું કાર્ય વધુ જટિલ બન્યું.
  • દા. ત.. – ખેડૂત પાસે ઘઉં છે અને તેને કાપડની જરૂર છે. પરંતુ વણકર પાસે કાપડ છે પણ તેને ઘઉં નહીં પરંતુ પગરખાંની જરૂર છે.
  • મોચી પાસે પગરખાં છે પણ તેને ઘઉંની જરૂર છે.
  • આમ અહીં એકબીજાની જરૂરિયાતનો મેળ બેસતો નથી. તેથી દરેકે અનેક વ્યક્તિઓ સાથે વિનિમય કરવો પડશે.
  • આમ કરવાથી સમય અને શક્તિનો બગાડ થતો હતો. આ ઉપરાંત અવિભાજ્ય વસ્તુના બદલામાં વિભાજય વસ્તુનો વિનિમય કરવો વધુ મુશ્કેલ બનતો હતો.

(ii) મૂલ્યના સંગ્રહની મુશ્કેલી : સાટા પ્રથામાં મૂલ્યના સંગ્રહની મુશ્કેલી હતી. અહીંયાં મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય ગણાય છે.

  • દિન-પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતાં તેમાંથી સ્વવપરાશ માટે વસ્તુઓ રાખી બાકીની વસ્તુઓના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી.
  • ભવિષ્યમાં વસ્તુ ખરીદવા કે ભાવિ આપત્તિ સામે રક્ષણ મેળવવા વ્યક્તિએ વસ્તુના સ્વરૂપમાં જ મૂલ્યનો સંગ્રહ કરવો પડતો પરંતુ તેમ કરવું મુશ્કેલ હતું કારણ કે…….
  • વસ્તુની ગુણવત્તા ઘટી જાય, સંગ્રહ કરવાનો ખર્ચ વધુ આવે, અનાજ સડી જાય, લોખંડની વસ્તુને કાટ લાગે, લાકડાની વસ્તુને ઊધઈ લાગે, ગાય-ભેંસ જેવાં પ્રાણીઓ બીમાર પડી જાય કે ઘરડાં થઈ જાય કે મૃત્યુ પામે વગેરેને લીધે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી પડતાં સાટા પ્રથા મર્યાદાવાળી બની.

(iii) મૂલ્ય માપનની મુશ્કેલી (સર્વ સામાન્ય માપદંડનો અભાવ : શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔઘોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યમાપનનો પ્રશ્ન ઊભો થયો.

  • જ્યાં સુધી મથર્યાદિત વસ્તુઓ અને માંદીગ જરૂરિયાતો હતી ત્યાં સુધી વિનિમય કરવાનું કાર્ય સરળ હતુ પરંતુ અર્થતંત્રમાં અનેક વસ્તુખી થાવી ગઈ તથા લોકોની જરૂરિયાતો વધતી ગઈ. પરિણામે દરેક વસ્તુઓના વિનિમય દરને યાદ રાખવાનું અને. નક્કી કરવાનું મુશ્કેલ બખાયું.

દા. ત.. એક મણ ઘઉં કેટલા મીટર કાય ? એક મણ ઘઉં – કેટલા એકમ પગરખાં વગેરેનું મૂલ્ય નક્કી કરવાનું અને તે મુજબ વેપાર કરવાનું કાર્ય મુશ્કેલ બન્યું. એક જ વસ્તુના અનેક મૂલ્યો યાદ રાખવાનું મુશ્કેલ બન્યુ

(iv) વસ્તુ વિભાજનની મુશ્કેલી : વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર જરૂરિયાતોનો સુમેળ સાધવાની જે સમસ્યાઓ હતી તે પૈકી એક સમસ્યા વસ્તુ વિભાજનની હતી.

  • જેમ કે અવિભાજ્ય વસ્તુના બદલામાં વિભાજય વસ્તુના વિનિમયનો વ્યવહાર વધુ મુશ્કેલ બનતો હતો.
  • દા. ત.. 100 મણ ઘઉં – 1 બળદ એવો વિબિષયદર નક્કી કરવામાં આવે પરંતુ બળદના માલિકને જો 50 મણ ઘઉંની જ જરૂર હોય તો તે ખેડૂતને ! બળદ આપી શકે નહીં. આમ ભૌતિક વસ્તુઓ સામે જીવંત પ્રાણીઓનો વિનિમય કરવો મુશ્કેલ પડતો હતો.

(v) વિલંબિત ચૂકવણીનાં ધોરણની મુશ્કેલી (લાંબી મુદતની લેવડદેવડની મુશ્કેલી)  વસ્તુ વિનિમય (સાટા પ્રથા) પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ છે સેવાનો વિનિમય કરવાનું કાર્ય તે સમય પૂરતું સરળ હતું. પરંતુ ઉછીનો વ્યવહાર કરવાની મુશ્કેલી પડતી હતી. તેથી તેનો વ્યવહાર કરવાની લોકોની તૈયારી હોતી નથી.

  • વસ્તુ જ્યારે ઉછીની આપી હોય ત્યારે તેની સાછત હોય અને પરત આવે ત્યારે તેની છત થઈ હોય. અછતમાં વિનિમય મૂલ્ય વધારે હતું જ્યારે છતમાં તેનું વિનિમય મૂલ્ય ઘટી ગયું હતું તેથી વસ્તુ ઉછીન આપનારને નુકશાન થશે.
  • વળી, સજીવ વસ્તુનો ઉછીનો વ્યવહાર કરવો મુશ્કેલ પડતો હતો.
  • દા. ત., આજે હું મારો બળદ તમને બે વર્ષ મા ઉછીનો આપું તો બે વર્ષ બાદ તમે તેવો ને તેવો બળદ મને પાછો નહિ આપી શકો. તે (બળદ) ઘર થયો હશે અથવા બળદ ખોવાઈ, ચોરાઈ કે મરી જા તો તમે જે બીજો બળદ પાછો આપશો તે પહેલ જેવો નહિ હોય તો ઉછીનો બળદ આપનારને નુકશાન જશે.

 (vi) હિસાબી અગવડતા : સાટા મથામાં જેટલી વસ્તુ ‘હોય તેટલાં મૂલ્યો યાદ રાખવા પડે.

  • સર્વસામાન્ય માપદંડનો અભાવ હોવાને લીધે આવક- જાવકનો હિસાબ રાખવાની તેમજ વેપારમાં નફો થયો કે નુકશાન થયું તે જાણવાની મુશ્કેલી છે. દા. ત., કોઈ વ્યક્તિ પાસે 10 મકાન, 4 ઘોડા, 3 હાથી, 2 બળદ, 1 ગાડું વગેરે પ્રમાણે સંપત્તિ હોય તો તેની કુલ સંપત્તિ કેટલી તે જાણવું (ગણવું) મુશ્કેલ છે. કારણ કે તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરી શકાય નહિ. કેમ કે દરેક વસ્તુ જુદી જાતની છે.
  • આમ, સાટા પ્રથાની ઉપરોક્ત ખામીઓ હોવાને લીધે નાણાંની શોધ થઈ છે. નાણાંની શોધે સાટા પ્રથાની મર્યાદાઓ નિવારવામાં અગત્યનો ફાળો આપ્યો છે.

સામાન્ય રીતે ભાવવધારો એટલે કુગાવો.

  • ફુગાવો એ આર્થિક સમસ્યા છે અને નાણાંકીય ઘટના છે.

સામાન્ય પ્રજા ચીજવસ્તુના ભાવવધારાને ફુગાવો માને છે પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ ફુગાવાની વ્યાખ્યાઓ આપી છે.

ફુગાવાનો અર્થ : સામાન્ય રીતે નાણાંના પુરવઠાના વધારાને કારણે લોકોની આવકમાં વધારો થતાં વસ્તુ અને સેવાની માંગમાં પણ વધારો થતાં તેની ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય છે જેને ફુગાવો કહે છે.

વ્યાખ્યાઓ : ડો. એ. પી. લર્નર : ‘વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે.’

ડો. એ. સી. પિગુ : ‘વાસ્તવિક આવક કરતાં નાણાંકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે.’

ડો. જે. એમ. કેઇન્સ : ‘ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાંકીય આવક વધે તો સર્જાય છે.’

ટૂંકમાં ભાવસપાટીમાં થતો સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદશક્તિ સતત ઘટે છે.

  • ફુગાવાનાં કારણો
  1. માંગમાં વધારો(માંગપ્રેરિત ફુગાવો)
  2. ખર્ચમાં વધારો(ખર્ચપ્રેરિત ફુગાવો

સામાન્ય રીતે વસ્તુ કે સેવાની માંગ વધે પરંતુ કોઈ કારણસર તે વસ્તુ કે સેવાના પુરવઠામાં વધારો ન થાય કે ધીમા દરે વધારો થાય તો વસ્તુ કે સેવાની અછત સર્જાય છે જેથી તેની કિંમતમાં વધારો થાય છે. જેથી ફુગાવો સર્જાય છે તેને માંગપ્રેરિત ફુગાવો કહે છે.

1) નાણાંના પુરવઠામાં વધારો :

  • પ્રો. ફ્રિડમેન અને હોટ્રે જેવા નાણાંવાદી અર્થસાસ્ત્રીએ  ફુગાવાને શુદ્ધ નાણાંકીય ઘટના માને છે.
  • તેમના મતે ભાવવધારા માટે નાણાંના પુરવઠામાં સરકાર દ્વારા કરવામાં આવતો વધારો જ જવાબદાર છે.
  • દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાંકીય આવકો વધે છે, જે ચીજ-વસ્તુ અને સેવાની માંગમાં વધારો જન્માવે છે, જેની સામે તેનો પુરવઠો લગભગ સ્થિર હોવાથી અથવા ધીમા દરે વધવાથી કિંમતો વધે છે અને ફુગાવાનું સર્જન થાય છે.
  • પ્રો. મેચલપે સાચું જ કહ્યું છે કે….

‘ખૂબ જ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે.’

ટૂંકમાં ફુગાવારૂપી આગ ચાલુ રહે અથવા વધારે ભડકે બળે તે માટે નાણાંનાં પુરવઠારૂપી ‘ઘી’ જવાબદાર છે.

2.) સરકારના જાહેર ખર્ચમાં વધારો : ભારત જેવા વિકાસમાન દેશોમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવા સરકારોએ જાહેરખર્ચ કરવું પડે છે. જેમ કે આંતરમાળખા(ઇન્ફ્રાસ્ટ્રક્ચર)નો વિકાસ, રોજગારીની તકોનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી વગેરે માટે વધુ ને વધુ ખર્ચ કરવો પડે છે.

  • આવા ખર્ચને પહોંચી વળવા ઘણીવાર સરકારે ખાધ પુરવણીનો આશ્રય લેવો પડે છે.
  • જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. લોકોની આવકમાં વધારો થાય છે અને વસ્તુની માંગમાં વધારો થતાં ભાવવધારો સર્જાય છે. જેથી ફુગાવાનું સર્જન થાય છે.
  • આમ નાણાંના પુરવઠા સામે વસ્તુનું ઉત્પાદન ઓછું હોય ત્યાર ફુગાવો વેગ પકડે છે.

3) વસ્તીવધારો : ભારત જેવા દેશમાં સરેરાશ 2 ટકાના દરે વધતી વસ્તી રોજિંદી વપરાશની વસ્તુની માંગમાં વધારો કરે છે અને બીજી બાજુ બચત અને રોકાણો પર માઠી અસરો સર્જે છે, જેથી વસ્તુ પુરવઠો વધતો નથી.

  • આમ, વસ્તુની માંગ અને પુરવઠા વચ્ચે તફાવત (અંતર) સર્જાય છે. પરિણામે ભાવસપાટીમાં વધારો થતાં ફુગાવાને વેગ મળે છે.
  • ક્યારેક વસ્તી સ્થિર હોય પરંતુ લોકોની આવકોમાં વધારો થતાં ફુગાવાજનક ભાવવધારો થાય છે.

4) કાળું નાણું : દેશમાં વધતું જતું કાળું નાણું પણ ભાવ વધારાને વેગ આપે છે. લોકો કાળાં નાણાંમાંથી વસ્તુ કે મિલકતો ખરીદે છે તેથી તેની માંગ વધતાં ફુગાવો સર્જાય છે.

(બ) ખર્ચમાં વધારો (ખર્ચપ્રેરિત ફુગાવો ) :

(i) ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો :

  • કિંમતને અસર કરતું બીજું મહત્ત્વનું પરિબળ પુરવઠો છે. પુરવઠાને અસર કરતું પરિબળ ઉત્પાદન ખર્ચ છે. તેથી પુરવઠાવાદી અર્થશાસ્ત્રીઓ ફુગાવા માટે વસ્તુ કે સેવાના ઉત્પાદન ખર્ચમાં થતો વધારો જ જવાબદાર છે તેવું માને છે. ૧૯૫૦ પછી આ ખ્યાલ વધુ વ્યાપક બન્યો છે.
  • જ્યારે કાચા માલની કિંમતો, યંત્રો, વીજળી અને પાણીના દરમાં વધારો, શ્રમિકોના વેતનમાં, વાહનવ્યવહાર ખર્ચમાં વધારો થતાં વસ્તુ કે સેવાની કિંમતોમાં વધારો થાય છે. આમ ખર્ચ વધવાના કારણે જે ફુગાવો સર્જાય છે તેને ખર્ચપ્રેરિત ફુગાવો કહેવાય છે.
  • આમ ખર્ચપ્રેરિત ફુગાવાના હિમાયતીઓના મતે ફુગાવાનું કારણ માંગમાં વધારો નહીં પણ ખર્ચનો ધક્કો જ જવાબદાર છે.

(ii)અન્ય કારણો :

A) કરવેરાનીતિ : જ્યારે સરકાર વસ્તુ કે સેવા ઉપ

(પરોક્ષવેરા) ઊંચા દરે કરવેરા નાંખે છે ત્યારે ઉત્પાદન ખર્ચમાં અને કિંમતમાં વધારો થાય છે. કારણ કે ઉત્પાદકો કરનો બોજ ભાવવધારા દ્વારા પોતાના ઉપરથી ગ્રાહક ઉપર ખસેડે છે, જે ફુગાવા માટે જવાબદાર બને છે.

(B) આયાતી વસ્તુની કિંમતમાં વધારો : ભારતે ઔધોગિકરણ કરવા પર ભાર મૂક્યો છે તેથી ભારતમાં પેટ્રોલિયમ પેદાશની માંગ વધી છે. એક અંદાજે આપણે 70% પેટ્રોલિયમ પેદાશોની આયાત કરવી પડે છે.

  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધે તો આયાતો મોંઘી બનતાં દેશમાં પણ પેટ્રોલ- ડીઝલના ભાવ વધે છે. જેથી ઉત્પાદન ખર્ચ અને વાહનવ્યવહાર ખર્ચ વધતાં અન્ય વસ્તુના ભાવ વધે છે. પરિણામે ફુગાવાને વેગ મળે છે.
  • પ્રો. કેઈન્સના શબ્દોમાં કોઈ એક વસ્તુનો ભાવવધારો બીજી વસ્તુના ભાવવધારાને ચઢિયાતી રીતે પોષે છે.

(C) અછત : ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા કાચો માલ વીજળી કે અન્ય જરૂરી વસ્તુની કોઈ પણ કારણોસર અછત સર્જાય તો ભાવો વધે છે.

  • સંગ્રહખોરો વસ્તુની કૃત્રિમ અછત સર્જે છે. જો અછત લાંબા ગાળા સુધી રહે તો ફુગાવાને વેગ આપે છે. સમીક્ષા : ફુગાવા માટે ઉપરોક્ત કારણો ઉપરાંત
  • દુષ્કાળ કે કુદરતી આપત્તિમાં અનાજનું ઉત્પાદન ન વધતાં ભાવ વધે છે. તેથી જીવનનિર્વાહ ખર્ચ વધે છે. શ્રમિકો વધુ વેતનની માંગણી કરે છે જે ઉત્પાદન ખર્ચ વધારે છે. યુદ્ધ કે તેના ભયે સંરક્ષણ ખર્ચ વધે છે. જેથી ખર્ચપ્રેરિત ફુગાવો વેગ પકડે છે.

 ફુગાવા માટે ઉપરોક્ત કારણો ઉપરાંત દુષ્કાળ કે કુદરતી આપત્તિમાં અનાજનું ઉત્પાદન ન વધતાં ભાવ વધે છે. તેથી જીવનનિર્વાહ ખર્ચ વધે છે. શ્રમિકો વધુ વેતનની માંગણી કરે છે જે ઉત્પાદન ખર્ચ વધારે છે. યુદ્ધ કે તેના ભયે સંરક્ષણ ખર્ચ વધે છે. જેથી ખર્ચપ્રેરિત ફુગાવો વેગ પકડે છે.

Leave a Comment