8. કૃષિક્ષેત્ર

Section-A
1-ગુણ

8. કૃષિક્ષેત્ર

1 / 7

હરિયાળી ક્રાતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરુ થયો ?

2 / 7

ભારતમા જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે ?

3 / 7

વર્ષ 2014-15ના અંદાજો પ્રમાણે ખેતીક્ષેત્રેમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું છે ?

4 / 7

ખેતીક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકની ફાળોકેટલો હતો ?

5 / 7

ભારતમાં કૃષિ-સંશોધન કરતી સંસ્થા કઈ છે  ?

6 / 7

નાબાર્ડની રચના કયાં વર્ષમાં થઈ ?

7 / 7

2011ની વસ્તી ગણતરી પ્રમાણે કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે ?

Your score is

The average score is 0%

0%

Section-B
1-ગુણ

=> ભારતમાં બીજી પંચવર્ષિય યોજના 1956 શરુ થઈ 

=> રુ, શણ, મગફળી, શેરડી, વગેરે  પાકોને રોકડિયા પાક કહે છે.

  1. જમીનદારી પ્રથા
  2. મહાલવારી પ્રથા
  3. રૈયતવારી પ્રથા

=> રાષ્ટ્રીય કોઠાર નિગમ તથા રાજ્ય કોઠાર નિગમ

Section-C
2-ગુણ

=>ભારત કૃષિઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતમાં કૃષિક્ષેત્ર પર ખૂબ નભે છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવનદોરી સમાન છે, આથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો પણ આપવામાં આવ્યો છે. ભારતીય અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રો કૃષિક્ષેત્ર પર અવલંબે છે. ભારતની વસ્તીનો મોટો ભાગ (68.8%) ગ્રામ્ય વિસ્તારમાં રહે છે જે ખેતી પર નભે છે. આમ, ભારત એ ખેતીપ્રધાન દેશ છે.

=> વર્ષ 1960-61માં ખેતીક્ષેત્રની નવી ટેક્નોલોજીનો ઉપયોગ ભારતમાં શરૂ થયો, જે ‘સઘન ખેતીનો કાર્યક્રમ’ સ્વરૂપે ઓળખાયો અને સમય જતા ‘ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ’ નામથી ઓળખાયો, જેને હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તે ‘આધુનિક ટેક્નોલોજીનો, કાર્યક્રમ’ તેમ જ ‘બિયારણ, ખાતર અને પાણીની ટેક્નોલોજીનો કાર્યક્રમ’ તરીકે પણ ઓળખાય છે.

  • ભારતની કૃષિક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. કૃષિક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને લીધે કૃષિક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે.
  • ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતીક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા.
  • આ ટકાવારી વર્ષ 2001-02માં ઘટીને 58% થઈ જ્યારે, 2013-14માં ખેતીક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% નોંધવામાં આવ્યું છે. 
  • આમ, ખેતીક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે.

ભારતમાં પણ કૃષિક્ષેત્ર લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનું કાર્ય કરે છે. કૃષિક્ષેત્ર મુખ્યત્વે બે પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. રોકડિયા પાકો જેવા કે (રૂ, શણ, મગફળી, તેલીબિયાં, શેરડી) વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળ-ફળાદિ, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે. આમ, કૃષિક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું જીવનધોરણ અને સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. આમ, ભારતનું કૃષિક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે.

Section-D
3-ગુણ

  • કૃષિ – સંશોધન :
  • ICAR (Indian Council of Agricultural Research) એ એવી એકમાત્ર સંસ્થા છે,
  • જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો માટેની વ્યવસ્થાઓ કરે છે અને તે માટે મદદ પૂરી પાડે છે.
  •  આ ઉપરાંત દેશમાં ખેતી સહિત બાગાયતી ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન વિશે જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે.
  • II ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે. તેણે રાષ્ટ્રીય અનાજ-પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય પ્રયત્નો પણ કર્યા છે.

  • ભારતમાં કૃષિક્ષેત્રની મહત્તા પુરાતન કાળથી રહી છે. ભારત કૃષિઉત્પાદન, રોજગારી અને નિકાસ-કમાણી જેવી બાબતોમાં કૃષિક્ષેત્ર પર ખૂબ નભતો હોવાથી ભારત ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભારતીય અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબે છે.
  • જેનું મુખ્ય કારણ એ છે કે, જો કોઈ કારણસર ભારતમાં કૃષિક્ષેત્ર ખેત-ઉત્પાનદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળ-દ્રવ્યદિ, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતા રોકડિયા પાક પણ નિષ્ફળ જાય તો, તેવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી.
  • કૃષિક્ષેત્રનો રોજગારીમાં ફાળો 49% છે (2014-15)
  •  કૃષિક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 14% છે (2011-12)
  •  કૃષિક્ષેત્રનો નિકાસ આવકમાં ફાળો 14.2% છે (2013-14).
  • કૃષિ અન્ય ક્ષેત્રો માટે કાચો માલ પૂરો પાડે છે.
  •  ભારતમાં વર્ષ 1956 (બીજી પંચવર્ષીય યોજના)થી ઔદ્યોગિકીકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
  •  ભારત સરકારે ઔધોગિકીકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતીપ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે.
  •  અહીં આયોજનના પરિણામસ્વરૂપે ખેતીક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ-કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે. છતાં ભારતનાં અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિક્ષેત્રની ઉપર આધાર રાખે છે.
  • ભારતની પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીનાં પ્રાથમિક સાધનોના ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી.
  • વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો, આધુનિક ખેતીમાં આધુનિક ટેક્નોલોજી જેમ કે હાઈબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેતી માટેનાં નવાં યંત્રો, સિંચાઈ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ શરૂ થયો, જેના કારણે ખેત-ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો, જેને એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવી. આ ક્રાંતિ ખેતીક્ષેત્રમાં થયેલ હોવાથી તેને ‘હરિયાળી ક્રાંતિ’ના નામે ઓળખવામાં આવે છે.

હરિયાળી ક્રાંતિ :

  • વર્ષ 1960-61માં ખેતીક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતના માત્ર સાત જિલ્લાઓમાં પાઈલટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો. જેને શરૂઆતમાં LADP (Intensive Agricultural District Program) એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે ઓળખાયો.
  • સમય જતાં તેની અદ્ભુત સફળતાને કારણે તે આખા દેશ પર લાગુ કરવામાં આવ્યો ત્યારે તેને HYVP (High Yielding Varities Program) એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોના કાર્યક્રમથી ઓળખાયો. જેને હરિયાળી ક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે.
  • આ ઉપરાંત તેને આધુનિક ખેત ટેક્નોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ, ખાતર અને પાણીની ટેક્નોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પાકની ફેરબદલી, એ દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે.

પાકના મુખ્ય બે પ્રકાર છે. (1) અનાજનો પાક

(2) અનાજેતર પાક,

  • જેને રોકડિયા પાક તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • અનાજના પાકમાં ઘઉં, ચોખા, બરછટ અનાજ (બાજરી, જુવાર, મકાઈ) અને કઠોળનો સમાવેશ થાય છે.
  • જ્યારે રોકડિયા પાકમાં વિવિધ તેલીબિયાં (મગફળી, જુવાર, તલ, એરંડો, સોયાબીન, અળસી) વગેરે તેમજ શેરડી, રબર, કપાસ, શણ વગેરેનો સમાવેશ થાય છે. પાકની ફેરબદલીનાં મુખ્ય બે કારણો છે.

ટેક્નોલોજિકલ પરિબળો : કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, આબોહવા, વરસાદ વગેરે બાબતો પર આધાર રાખે છે. ઉ.દા. મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા બાદ ચોખાનો પાક લેવામાં આવે છે. આમ, પાકની ફેરબદલી મૂડી, નવાં બિયારણો, ખાતરો, ધિરાણની સગવડો વગેરેના આધારે શક્ય બને છે.

આર્થિક પરિબળો : પાકની ફેરબદલી માટે આર્થિક પરિબળો પણ અગત્યતા ધરાવે છે. જે નીચે મુજબ છે :

(1) કિંમત અને આવક મહત્તમ બનાવવી.

(2) ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા

(3) ખેતરનું કદ

(4) વીમા-રક્ષણ

(5) મુદત (જમીન માલિક પાસેથી મળેલ જમીનની મુદ્રા.

આ પરિબળોની ઉપલબ્ધતા કે ઊણપ પાકની ફેરબદલી માટે જવાબદાર હોય છે.

મહત્ત્વની બાબતો :

  • 1950-51માં અંદાજે 75% અનાજનો પાક અને 25% રોકડિયા પાક લેવામાં આવતો હતો.
  • 1966થી દેશમાં ‘હરિયાળી ક્રાંતિ’ના ઘટકોનો ઉપયોગ અમલમાં આવતા પાકની ફેરબદલી જોવા મળી છે.
  • 1970-71માં અનાજનો પાક અંદાજે 74% અને રોકડિયો પાક 26% લેવાયો.
  • 2006-07માં અનાજના પાકમાં 64% અને રોકડિયા પાકનું 36% પ્રમાણ હતું.
  • ફરી પાકની ફેરબદલીના કારણે 2010-11માં અંદાજે અનાજનો પાક 66% અને રોકડિયા પાક 35% લેવાયેલ.

Section-E
5-ગુણ

ભારતમાં પણ કૃષિક્ષેત્ર લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનું કાર્ય કરે છે. કૃષિક્ષેત્ર મુખ્યત્વે બે પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. રોકડિયા પાકો જેવા કે (રૂ, શણ, મગફળી, તેલીબિયાં, શેરડી) વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળ-ફળાદિ, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે. આમ, કૃષિક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું જીવનધોરણ અને સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. આમ, ભારતનું કૃષિક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે.

(1)સંસ્થાકીય પરિબળો : ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તેને અસર કરતાં ભૌતિક સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે.

  • જમીન મહેસૂલ પ્રથા : ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન-મહેસૂલ ઉઘરાવવાની ત્રણ પ્રથાઓ પ્રચલિત હતી. જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા : દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં જમીનદારો કુલ ખેત-ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જીવનનિર્વાક થઈ શકે તેટલું ખેત-ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા જેથી ખેતઉત્પાદન વધારવામાં કોઈને રસ ન હતો..
  • ખેત ધિરાણ : ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતાં જોવા મળે છે. જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે. ભારતમાં 1951માં અંદાજે 71.6 ટકા ખેત ધિરાણ નાણાં ધિરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજના દરે ખેડૂતોને પૂરું પાડતા હતા અને હિસાબમાં ગરબડ કરી ગરીબ ખેડૂતોને છેતરતા હતા.
  • કૃષિ વિતરણ વ્યવસ્થા : ભારતમાં નબળા પાયાના માળખાને કારણે ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ-રસ્તા કે વાહનવ્યવહારની સગવડ યોગ્ય નથી. મોટા ભાગે ખેતપેદાશના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોઈ પોતાનાં ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી. જેને કારણે તેઓ નિરાશાવાદી બને છે.
  • ગ્રામીણ વિતરણ વ્યવસ્થા : ભારતના ખેડૂતો મોટે ભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલો છે. તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ હોતી નથી.

(2) ટેક્નોલોજિકલ પરિબળો : ખેતીનાં જૂનાં સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિક્ષેત્રને નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતાં જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે, જે નીચે ઉત્પાદકતા આપે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ ઓછો કરે છે.

(3) અન્ય પરિબળો :

  • વસ્તીનું ભારણ : કૃષિક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયે ભારતના 72 ટકા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી વર્ષ 2001-02 અને 2013- 14માં 58 ટકા અને 49 ટકા નોંધવામાં આવી છે.
  • આર્થિક આયોજનનો અભાવ : ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદ્ભણે ખેતીક્ષેત્ર માટે બનાવી હતી. પરંતુ બીજી પંચવર્ષીય યોજના(1956)થી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બન્યું છે. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય-ફાળવણી તથા ખર્ચ કરે છે તેટલું પ્રદાન તેણે ખેતીક્ષેત્રને આપેલું નથી. ભારતનું કૃષિક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી.

આમ ઉપરનાં કારણોને લીધે ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે.

કૃષિક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ હોવાથી તેમાં સુધારણા થવી ખૂબ જરૂરી છે. આ ઉપરાંત કૃષિક્ષેત્રમાં ખેત-ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવાક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે.

ઉપાયો :

(1) સંસ્થાકીય સુધારો અન્ય ઉપાયો

(2) ટેક્નોલોજિકલ સુધારો

(3) અન્ય ઉપાય

(1) સંસ્થાકીય પરિબળો :

=>  જમીનવિષયક સુધારો :ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તે માટે જમીનદારી નાબૂદીના કાયદા ખેડ-હકની સલામતી તથા સાથ નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત-ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે.

=>સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ :ભારત દેશમાં કૃષિક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. દેશની મધ્યસ્થ બેન્કનું अंग जेतुं NABARD (National Bank for Agriculture and Rural Development)ની સ્થાપના 1982માં કરવામાં તેના અંતર્ગત RRB, (Regional Rural Bank  LDBs (Land Development Banks) જમીન-વિકાસ બેન્કોનો વિકાસ કરવામાં આવ્યો.

=> કૃષિપેદાશનો વેચાણ-વ્યવસ્થામાં સુધારો : વેચાણ-વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણ પાયારૂપ પગલાંઓ લેવામાં આવ્યાં છે.

(i) નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે.

(ii) ખેત-ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા ‘એગમાર્ક’ પ્રથા દાખલ કરવામાં આવી છે.

(iii) ખેડૂતો ખેતપેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી ‘રાષ્ટ્રીય કોઠાર નિગમ’ અને ‘રાજ્ય કોઠાર નિગમો’ ઊભા કરવામાં આવ્યા છે.

(iv) સરકાર દ્વારા ‘તળિયાના ભાવ’ નક્કી કરવામાં આવ્યા.

 કૃષિ- સંશોધનો :

ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમ જ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ-સંશોધનો જાતે કરી શકતા નથી, તેથી આ જવાબદારી NABARDને સોંપવામાં આવી છે, જે વિવિધ પ્રકારનાં કૃષિ-સંશોધનો કરે છે. અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમો, ગ્રામવિકાસ યોજનાઓના પંચાયતી રાજ, જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિક્ષેત્રે ખેતઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે.

(2) ટેક્નોલોજિકલ સુધારો : સંસ્થાકીય સરખામણીમાં ટેક્નોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે. સુધારાઓની

(I) સુધારેલાં બિયારણો :

  • વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલાં બિયારણો વિકસાવવામાં આવ્યાં છે.
  • ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવાં બિયારણો મોટો ભાગ ભજવે છે.
  • તેથી અન્ન-ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને ‘કૃષિ ક્ષેત્ર’ને સ્થાને ‘બીજ ક્રાંતિ’ નામે પણ ઓળખવામાં આવે છે.

(ii)રાસાયણિક ખાતરનો વપરાશ :

  • સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે.
  • જે-તે પાકને જરૂરી (નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે, જેથી ખેડૂતોને નીચા ભાવે ખાતર ઉપલબ્ધ થઈ શકે.

(iii)સિંચાઈ સગવડમાં સુધારો :

  • ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર નભે છે. પરંતુ વરસાદ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે, જેની સીધી અસર ખેત- ઉત્પાદન અને ખેત-ઉત્પાદકતા ઉપર પડે છે. જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતા વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. ભારતમાં સિંચાઈની સગવડનો વ્યાપ વધારવા ‘સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના’ અને ‘આંતર માળખાકીય વિકાસ ભંડોળ’ની રચના કરવામાં આવી છે.

(iv)યંત્રોનો ઉપયોગ :

  • ભારતમાં નીચી ખેત-ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધનો કે યંત્રો છે.
  • દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ વગેરે યંત્રોની શોધ થઈ છે; જેને લીધે ઉત્પાદકતા વધી છે.

(v) જંતુનાશક દવાઓ :

પાકને થતા જુદા જુદા રોગો સાથે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોનો કારગત ઉપાય શોધવામાં આવેલ છે.

(vi) ભૂમિ-પરીક્ષણ :

  • વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલાં ભૂમિ-પરીક્ષણ કરાવવાની રીત પ્રચલિત બની છે. તે પરીક્ષણ જે-તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે- તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની માહિતી આપે છે.

(3) અન્ય ઉપાયો :

  • ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, મરઘા-બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવાં સંસાધનોના વ્યાપક ઉપયોગથી પણ ખેતીક્ષેત્ર પરનું ભારણ ઘટે છે.
  • ખૂબ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવામાં આવે તો ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો પણ વિકાસ થશે અને ખેત ઉત્પાદકતા વધારવી શક્ય અને સરળ બનશે.

Leave a Comment