5. ગરીબી

Section-A
1-ગુણ

ગરીબી

1 / 4

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ શહેરી ક્ષેત્રે કેટલી કેલરી જરુરી છે ?

2 / 4

ભારતમાં વર્ષ 2014-16માં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારીમાં પ્રમાણ જણાવો.

3 / 4

તેંડુલકર સમિતિ દ્વારા શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કિ કરવા કેટલા રુપિયા નક્કિ કરાયા છે ?

4 / 4

વર્ષ 2013 મુજબ ભારતનું સૌથી ગરીબ રાજ્ય જણાવો.

Your score is

The average score is 0%

0%

Section-B
1-ગુણ

Section-C
2-ગુણ

લોકોનું સ્વાસ્થ્ય એ શુદ્ધ અને સુરક્ષિત પીવાના પાણી તથા સ્વચ્છતા સાથે સંકળાયેલું છે. શુદ્ધ પીવાના પાણીન અભાવે તથા વપરાશમાં લેવાતા ગંદા પ્રદૂષિત પાણીથી લોકો અનેક પાણીજન્ય રોગોનો ભોગ બને છે.

દા. ત., કોલેરા, મરડો વગેરે રોગો થતાં હોય છે.

રહેઠાણ (મકાન) એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. જે મકાનો નળ, ડ્રેનેજ, વીજળી, પૂરતા ઓરડાની સગવડો ધરાવતા હોય તે મકાનોમાં સ્વાસ્થ્યની જાળવણી થઈ શકે છે. આમ પાણી, સ્વચ્છતા અને યોગ્ય મકાનો દ્વારા ચેપી રોગોથી બચી શકાય છે.

આ પદ્ધતિની મર્યાદા એ છે કે તેમાં ફક્ત ખોરાકમાંથી પ્રાપ્ત કેલરી વપરાશને જ ધ્યાનમાં લેવાય છે. આથી ગરીબીરેખા એ ‘ભૂખમરાની રેખા’ બની રહે છે.

વાસ્તવમાં ગરીબી એક આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે જ્યારે ભૂખ એ શારીરિક પરિસ્થિતિ દર્શાવે છે. આ ગણતરીમાં માત્ર કેલરી વપરાશને જ ધ્યાનમાં લઈ માનવજીવનની ગુણવત્તાને અસર કરતાં શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે પરિબળો ધ્યાનમાં લેવાયાં નથી.

1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રે રોજગાર વૃદ્ધિ ધીમી પડી અને જાહેરક્ષેત્રે રોજગાર વૃદ્ધિ નકારાત્મક બનતાં 1994-95થી સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાઈ છે.

આ યોજનાનો હેતુ શિક્ષિત બેરોજગારોને સ્વરોજગારી માટે સાહસો સ્થાપવામાં મદદ કરવાનો છે.

ઉપરાંત 1995માં યાદી અને ગ્રામોધોગ કમિશન દ્વારા પણ ગ્રામીણ રોજગારીના સર્જનનો કાર્યક્રમ રજૂ થયો હતો.

Section-D
3-ગુણ

  • દેશનાં પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવા માટે ફેબ્રુઆરી 2006માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ધારો (NREGA નરેગા શરૂ કરવામાં આવ્યો. તેમજ 2 ઓક્ટોબર, 2009 થી નામ બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી ધારો (MGNREGA) કરવામાં આવ્યું.
  • આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 2 ફેબ્રુઆરીનાં દિવસ “રોજગાર દિવસ” જાહેર કરવામાં આવ્યો છે. તેમજ કાર્યક્રમમાં 1 ગ્રામીણ બેરોજગારોને 100 દિવસની રોજગાર ખાતરી આપવામાં આવી છે. જેમાં 1/3 ભાગની રોજગ સ્ત્રીઓ માટે અનામત છે.
  • આ યોજનામાં 5 કિલોમીટરનાં અંતરમાં રોજગારી અપાય તેમજ તેમાંથી વધારે અંતર હોય તો 10% વધારે મંજૂરી છે. શારીરિક શ્રમ મુજબ ન્યુનતમ વેતન આપવામાં આવે
  • દરેક શ્રમિકને 5 વર્ષનાં સમય માટે જોબકાર્ડ અપાય છે.
  • જૉબકાર્ડ મળ્યાના 15 દિવસમાં રોજગારી આપવામાં આપવામાં આવે છે.
  • ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતી યોજનાઓ ટૂંકમાં સમજાવો.
  • ભારતમાં ગરીબી ઘટાડવાના હેતુથી કેટલીક સામાજિક સલામતી તેમજ સામાજિક કલ્યાણની યોજનાઓ શરૂ કરવામાં આવી છે જે નીચે પ્રમાણે છે :

    (i) શ્રી અટલ પેન્શન યોજના (APY) :

    9 મે, 2015ના રોજ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અસંગઠિત ક્ષેત્રોના કામદારોની સામાજિક સલામતી માટે શરૂ કરવામાં આવી છે.

    (ii) પ્રધાનમંત્રી સુરક્ષા યોજના (PMSBY) :

    18થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને ₹ 12ના નજીવા પ્રીમિયમે ₹ 2 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે – આંશિક વિકલાંગતામાં ₹ 1 લાખનો વીમો આપેલ છે.

    (iii) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) :

    18થી 50 વર્ષના લોકો માટે વાર્ષિક ₹ 330ના પ્રીમિયમે ₹ 2 લાખનો જીવન વીમો આપવામાં આવે છે.

    (v) પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)

    ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવાના હેતુથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂતને ખરીફ પાકમાં 2 ટકાના પ્રીમિયમે અને રવિ પાકમાં 1.5 ટકાના પ્રીમિયમે પાક વીમો અપાય છે.

Section-E
5-ગુણ

ગરીબી એક માનવસર્જિત સમસ્યા છે. સમાજના જે લોકો પોતાની પાયાની જીવન જરૂરી વસ્તુથી વંચિત રહી જીવન ગુજારે છે તે ગરીબ છે. ગરીબીનો ખ્યાલ પ્રાથમિક જરૂરિયાતો સાથે સંકળાયેલો છે તેથી જે લોકોની આવક એટલી ઓછી છે કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતા નથી તે ગરીબ છે.

ગરીબીનો અર્થ :

સમાજનો જે વર્ગ પોતાના જીવનની પાયાની જરૂરિયાતોથી વંચિત રહીને પોતાનું જીવન ગુજારતો હોય તેમને ગરીબ કહેવાય અને તેવી સ્થિતિને ગરીબીરેખા દ્વારા નક્કી થયેલા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય.

ગરીબીના નિર્દેશકો :

(1) નીચો માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ :

  • માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ એટલે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલી બધી જ વસ્તુઓ અને સેવાઓ (ટકાઉ વસ્તુઓ જેવી કે કાર, કમ્પ્યૂટર, ફ્રીઝ વગેરે)ના બજાર-મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતાં પ્રાપ્ત થતું ખર્ચ (આંક).
  • આ પ્રકારનું ખર્ચ લોકોની જીવન-જરૂરિયાત તેમજ સુખસગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ દર્શાવે છે.
  • વિકસિત દેશો કરતાં વિકાસમાન દેશોમાં માથાદીઠવપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા નીચી હોય છે તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે.
  • દા. ત., માથાદીઠ વપરાશી ખર્ચ પ્રમાણે -વર્ષ 2005ના સ્થિરભાવે 2014 પ્રમાણે

(2) કુપોષણનું પ્રમાણ :

  • કુપોષણ એટલે વ્યક્તિ દ્વારા લેવાતાં ખોરાકમાં કેલરી, પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ વગેરે પૂરતાં પ્રમાણમાં મળતાં ન હોય તેવી સ્થિતિ.
  • ભારતમાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા લોકોને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી.
  • FAOના 2015ના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું જે ગરીબીનો નિર્દેશ કરે છે.
  • દા. ત., કુલ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ (ટકાવારીમાં

(3) અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુ-દર :

  • અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલાં વર્ષ જીવશે તેવી અપેક્ષા.
  • અપેક્ષિત આયુષ્યનો આધાર પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય વિષયક સેવાઓ વગેરે પર છે.
  • વિકસતા દેશોમાં ગરીબો આ પ્રકારની સગવડો ઓછી મેળવી શકે છે તેથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે, જે ગરીબીનો નિર્દેશ કરે છે.
  • બાળમૃત્યુ-દર એટલે દર 1000 જીવિત જન્મતાં બાળકોમાંથી એક વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતાં બાળકોનું પ્રમાણ.
  • બાળમૃત્યુ-દરના પ્રમાણનો આધાર સ્વાસ્થ્ય સેવાઓ, માતાનું શિક્ષણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે પર રહેલો છે પરંતુ ગરીબ વર્ગનાં બાળકોને આ સેવાઓ પૂરતા પ્રમાણમાં ન મળતાં બળમૃત્યુ-દર ઊંચો રહે છે, જે ગરીબીનો નિર્દેશ કરે છે.

દા. ત., અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુ-દર (2014 પ્રમાણે)

 

(4) તબીબી સગવડો :

  • ભારત સહિત વિકસતા ગરીબ દેશોમાં ગરીબોને પુરતો પૌષ્ટિક ખોરાક ન મળવાથી તેમની રોગપ્રતિકાર શક્તિ ઓછી હોય છે અને બીજી તરફ લોકોને તબીબી સગવડો ઓછી મળે છે, ડૉક્ટરની અછત જોવા મળે છે. પરિણામે લોકો વારંવાર અનેક રોગોનો ભોગ બને છે.

રોગોનો ભોગ બને છે. વિકસતા દેશોમાં 6 હજારની વસ્તી માટે 1 ડોક્ય સેવા ઉપલબ્ધ છે જ્યારે વિકસિત દેશોમાં 3% વસ્તીએ । ડોક્ટરની સેવા ઉપલબ્ધ છે, જે ગરીબો, નિર્દેશ કરે છે.

(5) પીવાનું પાણી :

  • લોકોનું સ્વાસ્થ્ય હંમેશાં પીવાલાયક (શુદ્ધિકર
  • યુક્ત) પાણી અને સ્વચ્છતાની સગવડ સા સંકળાયેલું છે. શુદ્ધ પીવાના પાણીનો અભાવ લોડો ગંદું પ્રદૂષણયુક્ત પાણી પીવા માટે મજબૂર કરે : જેથી પાણીજન્ય રોગોનું પ્રમાણ વધે છે જે ગરીબીલ નિર્દેશ કરે છે.

 દા. ત., 2011 પ્રમાણે ભારતમાં માત્ર 63.3 ટકા કુટુંબો શુદ્ધિકરણ થયેલું પાણી પીવે છે.

(6) શૌચાલયની સુવિધા : 

  • ભારત જેવા વિકસતા દેશોમાં અને તેમાં પણ ગરીબોમાં શૌચાલયની સુવિધાનો અભાવ જોવા મળે છે. પરિણામે તેઓ ખુલ્લામાં શૌચક્રિયા કરે છે જેથી વાતાવરણ પ્રદૂષિત થાય છે અને લોકો રોગનો ભોગ બને છે. જે ગરીબીનો નિર્દેશ કરે છે.
  • દા. ત., ભારતમાં ૨૦૧૧ મુજબ ૬૬ ટકા મકાનોમાં જ શૌચાલયની સુવિધા છે.

(7) રહેઠાણ :

  • પ્રો. ગુન્નાર મિરડલના મતે ‘ભારત સહિત વિકસતા દેશોમાં રહેઠાણનો પ્રશ્ન ભૂખમરાના પ્રશ્ન જેટલો  તીવ્ર અને ગંભીર છે.’
  • રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ ગરીબીને કારણે લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીમ રહે છે. વળી, ઓરડાઓની સંખ્યા, કુટુંબની સભ્ય સંખ્યા નળ-ડ્રેનેજ (ગટર)-વીજળી જેવી સગવડો પણ ગરીબીનો નિર્દેશ કરે છે.

(8) વિજળીનો વપરાશ

દેશના આર્થીક વિકાસ માટે અને લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્ત્વની છે. વળી, ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ હોવા છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે. જે ગરીબીનો નિર્દેશ કરે છે.

(9) શિક્ષણ :

  • દેશની પ્રગતિનો આધાર શિક્ષિત અને તાલીમબદ્ધ શ્રમિકો ઉપર છે. તેથી જે દેશમાં શિક્ષણ અને તાલીમનું પ્રમાણ ઓછું હોય છે ત્યાં શ્રમિકો અકુશળ અને ઓછા ઉત્પાદક હોય છે.
  • જેથી શ્રમિકો પાસે વ્યવસાય, રોજગારી અને પસંદગીની તકો મર્યાદિત બને છે પરિણામે તેમનાં વેતન કે આવક ઓછાં રહેતાં ગરીબીનો ભોગ બને છે.
  • ઉપરાંત અશિક્ષિત લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી નવાં પરિવર્તનો અપનાવતા નથી જે ગરીબીનો નિર્દેશક છે.
  • દા. ત., 2011 પ્રમાણે બ્રાઝિલમાં સાક્ષરતાનો દર 91 ટકા છે જ્યારે ભારતમાં 74.04 ટકા જ છે.

(10) આવક અને સંપત્તિની અસમાન વહેંચણી :

  • નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને લીધે ધનિકો વધુ ધનિક અને ગરીબો વધુ ગરીબ બનતા જાય છે.
  • ઓછી આવક ધરાવતો ગરીબ વર્ગ મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં રહે છે. તે પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરિયાતોથી વંચિત રહે છે જે ગરીબીનો નિર્દેશ કરે છે.
  • ટોચની 1 ટકા વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો :

(11) બેરોજગારીનો ઊંચો દર :

  • પ્રવર્તમાન દરે કામ કરવાની ઇચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર કહેવાય, તેવી સામૂહિક સ્થિતિને બેકારી કહેવાય.
  • આયોજનની શરૂઆતમાં નીચો આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારીવિહોણી પ્રગતિ(Jobless Growth)ને કારણે રોજગારી સર્જનનો દર શ્રમના વધતા પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનું પ્રમાણ ઊંચું રહ્યું. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે.
  • વર્ષ 2013-14માં શ્રમબ્યૂરોની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગ નો દર 4.9હતો. વળી. ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી ક્ષેત્રો માટે તે 5.5 હતો.

ગરીબી એક માનવસર્જિત સમસ્યા છે. સમાજના જે લોકો પોતાની પાયાની જીવન જરૂરી વસ્તુથી વંચિત રહી જીવન ગુજારે છે તે ગરીબ છે. ગરીબીનો ખ્યાલ પ્રાથમિક જરૂરિયાતો સાથે સંકળાયેલો છે તેથી જે લોકોની આવક એટલી ઓછી છે કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતા નથી તે ગરીબ છે.

ગરીબીનો અર્થ :

સમાજનો જે વર્ગ પોતાના જીવનની પાયાની જરૂરિયાતોથી વંચિત રહીને પોતાનું જીવન ગુજારતો હોય તેમને ગરીબ કહેવાય અને તેવી સ્થિતિને ગરીબીરેખા દ્વારા નક્કી થયેલા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય.

(A) ઐતિહાસિક કારણો

  • ઇતિહાસકારોના મતે 17મી સદીમાં અંગ્રેજોનાઆગમન પહેલાં ભારત એક સમૃદ્ધ, સુસંસ્કૃત, શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. ભારત સુતરાઉ કાપડ, સિલ્ક, મરી મસાલા, તેજાના, ચોખા, હાથશાળની વસ્તુઓ વગેરેની નિકાસ કરતો એક ઔઘોગિક દેશ હતો, પરંતુ ડચ, ફ્રેન્ચ, અંગ્રેજો જેવી વિદેશી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતની ખેતી અને ઉધોગોની સ્થિતિ કથળતી ગઈ.
  • ભારતમાં ખેતી ક્ષેત્રની નાજુક સ્થિતિ હોવા છતાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં રસ દાખવ્યો નહીં, વળી, વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, સાંથ પ્રથા, વધતું જમીન મહેસૂલ વગેરેને કારણે તથા જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજાને કારણે ખેડૂતો અને ખેતી બેહાલ બન્યા પરિણામે ગરીબીમાં વધારો થયો.
  • ભારતમાં અંગ્રેજોએ દાખલ કરેલી વેપારનીતિ, કરનીતિ અને ઓધોગિક નીતિ અન્યાયી અને શોષણયુક્ત હતી. પરિણામે ભારતીય નિકાસો ઘટી, ઇંગ્લેન્ડની વસ્તુઓને ભારતનું બજાર મળ્યું. ભારતના ગૃહઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો પડી ભાંગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી.

(B) ગ્રામીણ ગરીબીનાં કારણો :

(i) કુદરતી પરિબળો (કારણો) :

  • ભારતમાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ખેતીનો આધાર કુદરતી પરિબળો પર છે. પરંતુ વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે.

(ii) વસ્તીવિષયક પરિબળો :

  • ભારતમાં ઝડપી વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં (શ્રમિકોની સંખ્યા) ઝડપી વધારો થયો છે જ્યારે શ્રમની માંગમાં (રોજગારીની તકો) ધીમા દરે વધારો થયો છે. પરિણામે વેતન દરો ઘટતા ગયા. આમ, આવક ઘટતાં ગરીબીમાં વધારો થયો.
  • ઉપરાંત ઝડપથી વસ્તી વધતાં માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહિ પરિણામે લોકોનું જીવનધોરણ નીચું રહેતાં પણ ગરીબીમાં વધારો થયો.

(C) તબીબી સગવડો :

(i) શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા :

  • ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેક્નોલોજી, શિક્ષણ અને તાલીમની ઊણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમદીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતાં ગરીબીનુંપ્રમાણ વધુ જોવા મળે છે.

(ii) જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી :

  • ભારતમાં અંગ્રેજ શાસનકાળથી જ જમીનદારી પ્રથાને કારણે જમીનની માલિકી મૂઠીભર જમીનદારોન હાથમાં હતી. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીત સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતીના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો.
  • બીજી બાજુ ખેતી કરનાર ખેતમજૂરો કે ભાગિયા, ગણોતિયાઓ પાસે પોતાની માલિકીની જમીન ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો. પરિણામે ખેતી ક્ષેત્રે ખેતઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતાં ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે.

(iii) નાના અને ગૃહઉધોગોનો અલ્પવિકાસ :

  • ભારતમાં ગ્રામ્યક્ષેત્રે નાના અને ગૃહઉદ્યોગો ઉત્પાદન, આવક અને રોજગારીમાં મોટો ફાળો આપે છે, પરંતુ બીજી પંચવર્ષીય યોજના પછી તેની અવગણના થઈ કારણ કે મોટા પાયાના ઉદ્યોગોને વધુ મહત્ત્વ આપ્યું છે.
  • ઉપરાંત ખેતી સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેનો ઓછો વિકાસ થવાથી બેકારી અને ગરીબીનું પ્રમાણ વધ્યું છે.

(iv) ઝડપી વધતા ભાવો :

  •  યુદ્ધનું વાતાવરણ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે. જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદશક્તિ માં ઘટાડો થાય છે.

(v) બેરોજગારીનું ઊંચું પ્રમાણ :

  • ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હોવાથી વર્ષમાં એક કે બે જ પાક લેવાય છે. (સઘન ખેતી થતી નથી) આથી ખેતી ક્ષેત્રે મોસમી બેકારી જોવા મળે છે તથા ખેતી પર વસ્તીનું ભારણ વધતાં પ્રચ્છન્ન બેકારી પણ વધે છે.
  • ગામડાંઓમાં ખેતીક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે. પરિણામે ગરીબીનું પ્રમાણ પણ ઊંચું રહે છે.

(D) સામાજિક કારણો :

(1) શિક્ષણનું નીચું સ્તર :

ભારતમાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના નીચા સ્તરને કારણે કૃષિક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેતપદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી પરિણામે ખેતી ક્ષેત્રે હેક્ટરદીઠ તથા શ્રમદીઠ ઉત્પાદકતા નીચી રહે છે જેથી ખેડૂતોની આવક પણ નીચી રહે છે. પરિણામે ગરીબી વધે છે.

  • ઉપરાંત ગામડાંઓમાં ખેતી સિવાયની રોજગારીની તકો ઓછી મળે છે તેથી પણ ગરીબી વધુ જોવા મળે છે.

(ii) સ્ત્રી-પુરુષ અસમાનતા (લૈંગિક અસમાનતા) :

  • ભારતમાં સ્ત્રીઓમાં શિક્ષણનું નીચું (ઓછું) પ્રમાણ, આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકો, સ્ત્રીઓ પ્રત્યે ઉપેક્ષા, સ્ત્રીઓમાં કુપોષણનું વધુ પ્રમાણ, શારીરિક નબળાઈ, ઊંચો માતા મૃત્યુદર, સ્ત્રીઓનું નબળું સ્વાસ્થ્ય, સ્ત્રીઓના કામકાજમાં વેતનદર નીચા વગેરેને કારણે કુટુંબની આવક નીચી પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે.

(E) અન્ય કારણો :

(1) યુદ્ધ

  • આઝાદી પછી ભારતે ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધનો સામનો કરવો પડયો. હાલમાં પણ વારંવાર આતંકવાદી હુમલાને લીધે શસ્ત્ર-સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચ વધ્યો છે તેથી વિકાસલક્ષી ખર્ચમાં કાપ મૂકવો પડ્યો છે. લોકો પણ જીવન- જરૂરી વસ્તુઓની સંગ્રહખોરી કરે છે પરિણામે ભાવો વધતાં જીવનધોરણ ઘટે છે પરિણામે ગરીબી વધે છે.

(4) સંરક્ષણ ખર્ચમાં વધારો :સંરક્ષણ ખર્ચમાં વધારો :

  • ભારતે સંરક્ષણ વ્યવસ્થા મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો વગેરેની ખરીદી પાછળ વધુ સંરક્ષણ ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ બિનવિકાસલક્ષી ખર્ચ છે. પરિણામે આર્થિક વિકાસ માટેના ખર્ચમાં કાપ મૂકવો પડે છે પરિણામે વિકાસદર નીચો રહેતાં ગરીબી વધે છે.

(iii) ખામીયુક્ત નીતિઓ :

  • ભારતે ઝડપી આર્થિક વિકાસ કરવા અમલમાં મૂકેલી નીતિઓ ગરીબી નિવારવાની દૃષ્ટિએ અયોગ્ય પુરવાર થઈ છે.
  • દા. ત., મોટા પાયાના ઉદ્યોગોને વધુ મહત્ત્વ આપતાં અનાજ અને વપરાશી વસ્તુઓનું પૂરતું ઉત્પાદન વધવા દીધું નથી. પરિણામે ફુગાવો અને ગરીબી વધ્યાં છે.
  •  ખેતી અને નાના-ગૃહ ઉદ્યોગોની અવગણના કરી છે. વારંવાર બદલાતી સરકારોને લીધે બેકારી અને
  • ગરીબી નિવારવા ઘડવામાં આવેલી યોજનામાં સાતત્ય અને સંકલન જોવા મળતું નથી.
  • સામાજિક કલ્યાણ ઉપર પૂરતું ધ્યાન અપાયું નથી પરિણામે ગરીબીનું પ્રમાણ વધુ છે.
  • ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચો. અથવા ભારતમાં ગરીબી નિવારવા લેવાયેલાં પગલાં સમજાવો.

Leave a Comment