નકશામાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વીગતો દર્શાવવા માટે ચેક્કસ પ્રકારનાં ચિહ્નો વપરાય છે. આ ચિહ્નો ને રૂઢ સંજ્ઞાઓ કે સાંકેતિક ચિહ્નો કહે છે.
- ભારતીય પ્રદેશના સ્થળવર્ણન નકશા ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે.
- નકશામાં આપેલી રૂઢ સંજ્ઞાઓને આધારે તે નકશામાં દર્શાવેલી વસાહતો તથા પરિવહન પ્રણાલી વિશે જાણી શકાય છે.
- વસાહતો લાલ રંગથી દર્શાવાય છે. નાનું ગામ કે મોટું શહેર હોય તે તેના અનિયમિત આકારથી ઓળખાય છે.
- કેટલીક ગ્રામીણ વસાહતો પરિવહન માર્ગોની નજીક આવેલી હોય છે. તેમની લંબાઈ વધુ હોય છે, તેથી તેમને રૈખિક (Linear) વસાહતો કહે છે.
- તે ઉપરાંત સુગ્રથિત (Compact), છૂટીછવાઈ અથવા પ્રકીર્ણ (Scattered) અને વૃત્તાકાર (Ring Type) વસાહત પ્રણાલી પણ હોય છે.